10.3 C
New York
Wednesday, Apr 24, 2024
Star Media News
Breaking News
Latest News

રાષ્ટ્રીય એકતા દિવસ અવસરે વન અને આદિજાતિ રાજયમંત્રીશ્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં વલસાડ ખાતે પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ યોજાઇ

સરદાર વલ્લભભાઇ પટેલની જન્‍મ જયંતી- રાષ્‍ટ્રીય એકતા દિવસની ઉજવણી અવસરે વન અને આદિજાતિ રાજયમંત્રીશ્રી રમણલાલ પાટકરની ઉપસ્‍થિતિમાં  સર્કિટ હાઉસ વલસાડ ખાતેથી વલસાડ પોલીસ દ્વારા માર્ચ પાસ્‍ટ યોજવામાં આવી હતી  આ માર્ચ પાસ્‍ટ  સર્કિટ હાઉસથી શરૂ કરી ટાવર, કલ્‍યાણી બાગ થઇ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પૂર્ણ  થઇ હતી આ માર્ચ પાસ્‍ટમાં પોલીસના જવાનો, હોમગાર્ડ તથા ટીઆરબીના જવાનો જોડાયા હતા.

આ અવસરે વન અને આદિજાતિ રાજયમંત્રીશ્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે,  દેશની અંખડિતતાના શિલ્‍પીને સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરવાનો દિવસ છે. દેશ માટે શહીદી વ્‍હોરનાર શહીદોને યાદ કરવા સાથે દેશની આંતરીક સુરક્ષાની સેવામાં સતત તત્‍પર એવા દેશના જવાનો માટે   અભિનંદન આપવા ધટે છે.  ત્‍યારે દેશની અખંડિતતા, સલામતી  અને સુરક્ષામાં  સૌના સહયોગની જરૂર હોવાનું જણાવ્‍યું હતું.

આ અવસરે મંત્રીશ્રી સહિત મહાનુભાવો શણગારાયેલી જીપમાં બેસી શહેરના માર્ગે ફરીને લોકોનું અભિવાદન ઝીલ્‍યું હતું.

આ અવસરે નિવાસી અધિક કલેકટર એન.એ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક, મામલતદાર  શ્રી સુવેરા સહિત પોલીસ અધિકારી/કર્મચારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

LATE SHRI PARESHBHAI CHANDARANA CHARITABLE TRUST Inaugurates Its 2nd UNIT SUPREME SOUL RAJASHRAM

cradmin

Pooja Mathur A born Clairvoyant And Spiritual Healer-Coach Is Based In Mumbai And Have A Career Span Spread Over 2 Decades

cradmin

गणेशोत्सवाच्या पार्श्वभूमीवर नागरिकांच्या सोयीसाठी मालाड कुरार भुयारी मार्ग एक बाजूने पादचाऱ्यांसाठी खुला. 

cradmin

Leave a Comment