5.2 C
New York
Friday, Mar 29, 2024
Star Media News
Breaking News
Trending News

હાલરના પાદરદેવી મંદિરેથી માતારાનીની ચૂંદડીયાત્રા અને ધ્વજાઅર્પણ કાર્યક્રમ યોજાયો

વલસાડ શહેરના હાલર સ્‍થિત પાદરદેવી મંદિર ખાતે શરદપૂનમ અવસરે માતારાનીની ચુંદડીયાત્રા અને ધ્‍વજા અર્પણ કાર્યક્રમમાં વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે વિશેષ ઉપસ્‍થિત રહી માતા રાનીની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્‍યા હતા.

આ અવસરે આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે શરદપૂનમની સૌને શુભેચ્‍છા પાઠવી માતાજી સૌનું આરોગ્‍ય સારું રાખે આશીર્વચન પાઠવ્‍યા હતા.

આ અવસરે સ્‍વચ્‍છ ભારત અભિયાન અંતર્ગત હાલર નવયુવક મંડળ દ્વારા ૪૦૦ કાપડની થેલીઓનું વિતરણ કરાયું હતું. એન.અસ.એસ. આર્ટસ કૉલેજ વલસાડ, એન.સી.સી. સાયન્‍સ કૉલેજના વિદ્યાર્થીઓએ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ ન કરવા અંગેના બેનરો થકી જાગૃતિ ફેલાવી હતી.

આ અવસરે કથાકાર વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ પંકજભાઇ આહિર, પ્રફુલભાઇ શુક્‍લ, શદરભાઇ વ્‍યાસ, પ્રિતીબેન પાંડે, શિવજી મહારાજ, ઉમિયા સોશીયલ ગ્રૂપ, રોટરી કલબ, પતંજલી, એન.અસ.એસ. આર્ટસ કૉલેજ વલસાડ, એન.સી.સી. સાયન્‍સ કૉલેજ, રજપૂત સમાજ, જલાસાઇ જનસેવા ટ્રસ્‍ટ સહિત નગરજનો, માતાજીના ભક્‍તો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

Related posts

I HAVE NEVER SEEN A SCRIPT LIKE BAKRID SAYS ROHIT PATHAK

cradmin

समाजसेवा जीवन का अंग होना चाहिए – एडवोकेट अमरनाथ मिश्र

cradmin

Actress Zeenat Aman Launches Yuvraaj Parashar Devotional Single – Atharva

cradmin

Leave a Comment